Spread the love


અયોધ્યા થી અભિમંત્રિત કરેલા અક્ષત કુંભ નું પંચમહાલ ના કાલોલ માં આગમન થતા વિધિવત રીતે શોભાયાત્રા સાથે શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરી આ અક્ષત કુંભ ને વધાવવા માં આવ્યા હતાં.કાલોલ નગર માં ઠેર ઠેર અક્ષત કુંભ દર્શન નો મોટી સંખ્યા માં નગરજનો એ લ્હાવો લીધો હતો.

રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યું છે અને આગામી થોડા જ દિવસો માં જ્યારે તેમાં ભગવાન રામ બિરાજવા ના છે.ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવા નો છે ત્યારે તેમાં ઘેર ઘેર આમંત્રણ આપવા માટે અયોધ્યા થી અભિમંત્રિત કરી ને અક્ષત કુંભ અલગ અલગ વિભાગો માં મોકલવા માં આવ્યા છે.પંચમહાલ ના કાલોલ ખાતે પણ આ અક્ષત કુંભ નું આગમન થતા આજરોજ ભવ્ય શોભાયાત્રા બાદ વિધિવત પૂજન કરવા માં આવ્યું હતું.પૂજન બાદ આ અક્ષત કુંભ ને કાલોલ તાલુકા માં અલગ અલગ વિભાગો માં વહેંચી ઘેર ઘેર આમંત્રણ પાઠવવા માં આવનાર છે.આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,વીએચપી અને હિન્દૂ સમાજ ના અગ્રણીઓ અને ખૂબ જ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુ ઓ પવિત્ર અક્ષત કુંભ ના દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતાં

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *